
દીકરીએ ડંકો વગાડ્યો: ખેડૂત પુત્રીને નીટમાં 558 માર્ક
Published on: 15th June, 2025
ભાવનગરના આહિર કન્યા વિદ્યાલયમાં રહીને અભ્યાસ કરતા ખુશાલી બાલુભાઇ બલદાણીયાએ નીટની પરીક્ષામાં 558 માર્ક મેળવ્યા છે. ખુશાલીબેને ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક અભ્યાસ કરેલો અને તેઓના પિતા ખેડૂત હતા. માત્ર 11 વર્ષની ઉંમરે પિતાની છત્ર છાયા ગુમાવનાર ધોકડવા ગામની દીકરી સાબિત કરે છે કે જીવનની કોઈપણ પરિસ્થિતિમાં તમે સફળ થઈ શકો છો. દ્રઢ મનોબળથી નીટમાં ફિઝિક્સ જેવા અઘરા પેપરમાં 99.88 પર્સન્ટાઈલ મેળવ્યા છે. આ અગાઉ ધોરણ 12 સાયન્સમાં 98.95 પર્સન્ટાઈલ અને ગુજકેટમાં 120 માંથી 114 માર્ક મેળવ્યા છે. ખુશાલીબેનને ડોક્ટર બનવાની ઈચ્છા છે.
દીકરીએ ડંકો વગાડ્યો: ખેડૂત પુત્રીને નીટમાં 558 માર્ક

ભાવનગરના આહિર કન્યા વિદ્યાલયમાં રહીને અભ્યાસ કરતા ખુશાલી બાલુભાઇ બલદાણીયાએ નીટની પરીક્ષામાં 558 માર્ક મેળવ્યા છે. ખુશાલીબેને ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક અભ્યાસ કરેલો અને તેઓના પિતા ખેડૂત હતા. માત્ર 11 વર્ષની ઉંમરે પિતાની છત્ર છાયા ગુમાવનાર ધોકડવા ગામની દીકરી સાબિત કરે છે કે જીવનની કોઈપણ પરિસ્થિતિમાં તમે સફળ થઈ શકો છો. દ્રઢ મનોબળથી નીટમાં ફિઝિક્સ જેવા અઘરા પેપરમાં 99.88 પર્સન્ટાઈલ મેળવ્યા છે. આ અગાઉ ધોરણ 12 સાયન્સમાં 98.95 પર્સન્ટાઈલ અને ગુજકેટમાં 120 માંથી 114 માર્ક મેળવ્યા છે. ખુશાલીબેનને ડોક્ટર બનવાની ઈચ્છા છે.
Published at: June 15, 2025
Read More at દિવ્ય ભાસ્કર