ભરૂચ શ્રાવણ વિદ્યાધામમાં 80 માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
ભરૂચ શ્રાવણ વિદ્યાધામમાં 80 માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
Published on: 19th August, 2026

ભરૂચ ખાતે આવેલા શ્રાવણ વિદ્યાધામમાં 80માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. શાળાની પરંપરા જાળવી રાખી, ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો. શેશાંગ દેગડવાલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. મુખ્ય મહેમાન ઈશ્વરભાઈ સજ્જને 'સ્વદેશી અને વિકસિત ભારત' પર પ્રેરણાદાયી પ્રવચન આપ્યું. ડો. શેશાંગ દેડવાલાએ વિદ્યાર્થીકાળના સંસ્મરણો અને કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન પૂરું પાડ્યું. ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું.