પાલનપુરની એમ.એ.પરીખ કોલેજમાં સંગીત વિભાગ દ્વારા રાત્રિકાલીન સંગીત વર્કશોપનું સફળ આયોજન
પાલનપુરની એમ.એ.પરીખ કોલેજમાં સંગીત વિભાગ દ્વારા રાત્રિકાલીન સંગીત વર્કશોપનું સફળ આયોજન
Published on: 28th July, 2026

પાલનપુર સ્થિત એમ.એ.પરીખ ફાઈન આર્ટસ એન્ડ આર્ટસ કોલેજના સંગીત વિભાગ દ્વારા તાજેતરમાં એક રાત્રિકાલીન સંગીત વર્કશોપ યોજાયો હતો. જેમાં સંગીતવિદ્ ડો.ચૈતન્યકુમાર એ. જોશીએ મુખ્ય માર્ગદર્શક તરીકે વિદ્યાર્થીઓને સંગીતના વિવિધ પાસાઓ, રિયાઝનું મહત્વ, મંચ પ્રસ્તુતિ અને સંગીત સાધનાના મૂલ્યો વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓએ ગાયન અને વાદનની પ્રસ્તુતિઓ રજૂ કરી, જેને ડો. જોશીએ રસપૂર્વક નિહાળી પ્રોત્સાહન આપ્યું.