ભાજપ નેતાઓની આયુર્વેદ કોલેજોમાં ગેરકાયદેસર પ્રવેશ
ભાજપ નેતાઓની આયુર્વેદ કોલેજોમાં ગેરકાયદેસર પ્રવેશ
Published on: 18th June, 2026

ભાજપ નેતાઓ સાથે સંકળાયેલી આયુર્વેદ કોલેજોમાં નીટ ક્વોલિફાય ન થયેલા 49 વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે પ્રવેશ આપવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. 2019-20માં, કોલેજ સંચાલકોએ લાખોની ફી પડાવી કૌભાંડ આચર્યું. સરકારે નીચું કટ-ઓફ જાહેર કર્યું ન હતું, તેમ છતાં ખાલી બેઠકો ભરવા વિદ્યાર્થીઓને એડમિશન અપાયા. આયુર્વેદ યુનિવર્સિટીએ પછીથી એડમિશન રદ કર્યા, જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહ્યા. પૂર્વ CM વિજય રૂપાણીના ભત્રીજા, પૂર્વ ધારાસભ્ય અને VHPના નેતાઓની કોલેજોમાં પણ આ ગોટાળો થયો છે.