જામનગરમાં પાણીના ધંધાની અદાવતમાં વેપારી પર છરી વડે હુમલો
જામનગરમાં પાણીના ધંધાની અદાવતમાં વેપારી પર છરી વડે હુમલો
Published on: 05th September, 2026

જામનગરના શરુ સેકશન રોડ પર પાણીના ધંધાની અદાવતમાં એક વેપારી પર છરી વડે હુમલો કરવામાં આવ્યાનો બનાવ બન્યો છે. આ મામલે સિટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, પાણીનો ધંધો કરતા મહેશભાઈ દામજીભાઈ પરમાર પર અશ્વીનભાઈ પોલાભાઈ વિરમગામા, નીલેશ અશ્વીનભાઈ વિરમગામા અને અશ્વીનભાઈના પુત્રએ ગાળો આપી છરી વડે હુમલો કર્યો હતો, જેમાં તેમને ઇજા થઈ હતી. ત્રણેય આરોપીઓએ મળીને આ કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ છે. આ બનાવમાં હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવાનો પણ ગુનો નોંધાયો છે. પોલીસ વધુ તપાસ કરી રહી છે.