પાલિતાણામાં ડુંગરા પર 2 દિવસમાં બે લૂંટની ઘટના.
પાલિતાણામાં ડુંગરા પર 2 દિવસમાં બે લૂંટની ઘટના.
Published on: 18th April, 2026

ભાવનગરના પાલિતાણામાં અખાત્રીજના પર્વ પૂર્વે શેત્રુંજી ડુંગર પર યાત્રાળુઓ સાથે લૂંટની બે ઘટનાઓ બનતા સનસનાટી મચી ગઈ છે. તમિલનાડુના યાત્રાળુ પાસેથી છરાની અણીએ સોનાના ચેઈનની લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો, જ્યારે અગાઉ એક મહિલા પણ લૂંટાઈ હતી. આ ઘટનાઓને પગલે પોલીસ કાફલાએ સર્ચ ઓપરેશન હાથ ધરી ત્રણ શંકાસ્પદોને ઝડપી લીધા છે. સુરક્ષા સુનિશ્ચિત કરવા આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ડુંગર પર ૩૬ સોલાર સીસીટીવી કેમેરા લગાવવા અને સિક્યુરિટી ગાર્ડ વધારવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.