સ્વૈચ્છિક દેહવ્યાપાર અપરાધ નથી: પુખ્ત વયના લોકો માટે સુપ્રીમ કોર્ટની પોલીસને સ્પષ્ટ સૂચના
સ્વૈચ્છિક દેહવ્યાપાર અપરાધ નથી: પુખ્ત વયના લોકો માટે સુપ્રીમ કોર્ટની પોલીસને સ્પષ્ટ સૂચના
Published on: 01st June, 2026

સુપ્રીમ કોર્ટે પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે કે, પુખ્ત વયની વ્યક્તિ જો સ્વેચ્છાએ દેહવ્યાપારમાં જોડાય છે, તો તેને ગુનો ગણી શકાય નહીં. આવા કિસ્સાઓમાં મહિલાઓની ધરપકડ કે હેરાનગતિ કરવી યોગ્ય નથી. જોકે, માનવ તસ્કરી, છેતરપિંડી અથવા દબાણ દ્વારા દેહવ્યાપાર કરાવવામાં આવે તો 'ઇમ્મોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ' (ITPA) લાગુ પડશે. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, સંમતિથી આ વ્યવસાયમાં જોડાયેલા પુખ્ત વયના લોકોને પોલીસ પરેશાન કરી શકે નહીં. વેશ્યાલય ચલાવવું ગેરકાયદે છે, જે ITPA હેઠળ ગુનો છે.