RBIના નવા નિયમો: લોન રિકવરી એજન્ટોની ગુંડાગીરી પર લાગશે લગામ
RBIના નવા નિયમો: લોન રિકવરી એજન્ટોની ગુંડાગીરી પર લાગશે લગામ
Published on: 10th August, 2026

લોન EMI ચૂકવવામાં નિષ્ફળતા પર બેંકો અને રિકવરી એજન્ટો હવે ગ્રાહકોને દબાણ કરી શકશે નહીં. RBI દ્વારા 1 જાન્યુઆરી 2027 થી લાગુ થનારા નવા નિયમો મુજબ, રિકવરી કોલ અને રૂબરૂ મુલાકાત માટે ચોક્કસ સમય મર્યાદા (સવારે 8 થી સાંજે 7) રહેશે. ગ્રાહકોની અંગત માહિતી સુરક્ષિત રાખવામાં આવશે અને ગેરવર્તણૂક બદલ બેંકોને વળતર આપવું પડશે. રિકવરી એજન્ટે યોગ્ય ઓળખપત્ર સાથે આવવું પડશે અને ગ્રાહકોને ફરિયાદ માટે સ્પષ્ટ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવશે.