નડિયાદ શહેરમાં ફૂડ વિભાગની 9 સ્થળો પર કાર્યવાહી
નડિયાદ શહેરમાં ફૂડ વિભાગની 9 સ્થળો પર કાર્યવાહી
Published on: 10th August, 2026

નડિયાદ ફૂડ વિભાગ દ્વારા શહેરની વિવિધ વેપારી મથકો અને રેસ્ટોરન્ટ્સમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ડેરી પ્રોડક્ટ્સના નામે વેચાતા ભેળસેળયુક્ત પનીર અને ચીઝ સામે કાર્યવાહી કરતાં કુલ 9 સ્થળો પર તપાસ કરવામાં આવી. શંકાસ્પદ જણાયેલા 5 ખાદ્યપદાર્થોના સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આ દરમિયાન, રૂ. 2,100 ની કિંમતનો અસ્વાસ્થ્યપ્રદ અને વાસી ખોરાક, જેમાં હોટડોગ, પાવ, કુલચા, ગ્રેવી અને ખાદ્યકચરો સમાવેશ થાય છે, તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. વેપારીઓને ખાદ્યસુરક્ષા નિયમોનું પાલન કરવાની ચેતવણી અપાઈ છે.