જાહેર સ્થળોએ ગેરકાયદે ઘાસચારો વેચનાર 7 ઈસમો સામે મનપાની પોલીસ ફરિયાદ
જાહેર સ્થળોએ ગેરકાયદે ઘાસચારો વેચનાર 7 ઈસમો સામે મનપાની પોલીસ ફરિયાદ
Published on: 05th August, 2026

પોરબંદર શહેરમાં જાહેર માર્ગો, ચોક અને સ્થળોએ ગેરકાયદે ઘાસચારો વેચનાર સામે પોરબંદર મહાનગરપાલિકા (મનપા) દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ છે. અગાઉ સૂચનાઓ છતાં નિયમોનો ભંગ કરનાર 7 ઈસમો સામે મનપાની એનીમલ ન્યુસન્સ કંટ્રોલ શાખાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જાહેર રસ્તા પર ઘાસચારો વેચવાથી રખડતા ઢોર એકત્ર થઈ ટ્રાફિક, ગંદકી અને અકસ્માતનો ભય રહે છે. મનપાએ પશુપ્રેમીઓને માન્ય ગૌશાળાઓમાં ઘાસચારો આપવા અનુરોધ કર્યો છે.