વિરપુર અને ધોરાજીમાં ખનિજ ચોરીનો પર્દાફાશ!
વિરપુર અને ધોરાજીમાં ખનિજ ચોરીનો પર્દાફાશ!
Published on: 07th August, 2026

રાજકોટ જિલ્લાના વિરપુર અને ધોરાજીમાં રેન્જ આઇજી ટીમે કાર્યવાહી કરી, જ્યાંથી બે જેસીબી, ત્રણ ડમ્પર, બે ટ્રેક્ટર અને રેતી મળી કુલ રૂ. 1.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. વિરપુરના પીઠડીયા ગામે સરકારી ખરાબામાંથી રૂ. 1.05 કરોડનો મુદ્દામાલ જ્યારે ધોરાજીના સુપેડીમાં ઉતાવડી નદીના કાંઠેથી રૂ.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. આ કાર્યવાહી ડીઆઈજી નિર્લિપ્ત રાયની સૂચના બાદ રેન્જ પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ કરાઈ હતી.