અમદાવાદ લાલ દરવાજા બહુચર માતાજી મંદિર પરથી ૧.૨૫ લાખનો iPhone ચોરાયો
અમદાવાદ લાલ દરવાજા બહુચર માતાજી મંદિર પરથી ૧.૨૫ લાખનો iPhone ચોરાયો
Published on: 24th August, 2026

અમદાવાદના લાલ દરવાજા સ્થિત બહુચર માતાજી મંદિરમાં દર્શનાર્થે આવેલા એક વૃદ્ધ ભક્તનો 1,23,500 રૂપિયાનો iPhone 17 Pro Max ચોરાઈ ગયો. ભક્તિભાવમાં તલ્લીન નિવૃત્ત નાગરિકની નજર ચૂકવીને એક અજાણ્યા શખસે તેમના ખિસ્સામાંથી આ મોંઘોદાટ ફોન સેરવી લીધો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ભોગ બનનાર અજયકુમાર અશોકભાઈ જરદોશે કારંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.