અમરેલીના જાફરાબાદના ચોત્રા રોડ પર ટ્રેક્ટર-બાઈક ટક્કરમાં ૨ યુવકોના મોત
અમરેલીના જાફરાબાદના ચોત્રા રોડ પર ટ્રેક્ટર-બાઈક ટક્કરમાં ૨ યુવકોના મોત
Published on: 28th August, 2026

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં નાગેશ્રી-ચોત્રા માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. નાગેશ્રી નજીક શીતળા માતાજીના મંદિર પાસે મોડી રાત્રે ટ્રેક્ટર અને ટુ-વ્હીલર (બાઇક) વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં બાઇક પર સવાર બંને યુવાનોને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યુવાનોમાં એક નાગેશ્રી ગામનો રહેવાસી હતો. રાત્રિના અંધારામાં થયેલા અકસ્માતના અવાજથી સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. નાગેશ્રી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.