નકલી ચીઝ-પનીર બનાવનારાઓ સામે કડક કાર્યવાહી, હવે "ટાસ્ક ફોર્સ" રચાઈ
નકલી ચીઝ-પનીર બનાવનારાઓ સામે કડક કાર્યવાહી, હવે "ટાસ્ક ફોર્સ" રચાઈ
Published on: 07th August, 2026

ગુજરાતમાં હવે એનાલોગ પનીર, બટર, ચીઝ જેવા ખાદ્યપદાર્થોના ઉત્પાદન, વિતરણ, પરિવહન અને વેચાણ કરનારાઓ સામે સખ્તાઇથી કાર્યવાહી કરવાના આદેશો થયા છે. આવા ભેળસેળીયા તત્ત્વો સામે નિરંતર કાર્યવાહી ચાલુ રહે તે માટે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરેટ, પોલીસ, તોલમાપ ખાતું, આરોગ્ય વિભાગ સહિતના વિભાગોને સંકલિત કરીને એક ટાસ્ક ફોર્સ રચવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક પગલાં લેવાની સૂચના આપી છે. આ નવા પગલાંથી બજારમાં અસલી દૂધ આધારિત પનીરનો ઉપયોગ વધશે, જેના કારણે દૂધ અને ડેરી ઉત્પાદનોના ભાવમાં વધારો થવાની શક્યતા છે.