નોટિસ વિના દબાણ હટાવતાં ભાવનગરના કુંભારવાડામાં ભારે રોષ
નોટિસ વિના દબાણ હટાવતાં ભાવનગરના કુંભારવાડામાં ભારે રોષ
Published on: 02nd September, 2026

ભાવનગર શહેરના કુંભારવાડા રેલવે ફાટક નજીક 'મિલની ચાલી' વિસ્તારમાં નવા રસ્તાના નિર્માણ માટે મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવામાં આવ્યું છે. રોડના નિર્માણમાં અડચણરૂપ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાયું છે. જોકે, આ કાર્યવાહી સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની અગાઉથી નોટિસ આપવામાં આવી નહોતી, જેના કારણે અચાનક થયેલી આ કાર્યવાહીથી લોકોમાં દોડધામ મચી ગઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ નોટિસ આપ્યાનો દાવો કરી રહ્યા છે, પરંતુ સ્થાનિકો આ વાતનો ઇનકાર કરી રહ્યા છે, જેના કારણે વિરોધાભાસ સર્જાયો છે.