બનાસકાંઠાના કુવાણા હત્યા કેસમાં 5 આરોપીને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરાયું
બનાસકાંઠાના કુવાણા હત્યા કેસમાં 5 આરોપીને ઘટના સ્થળે લાવી રિકન્સ્ટ્રક્શન કરાયું
Published on: 15th June, 2026

બનાસકાંઠાના લાખણી તાલુકાના કુવાણા ગામે ત્રણ દિવસ પહેલા શામળભાઇ ભીલની થયેલી હત્યાના ચકચારી કેસમાં પોલીસે 5 આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. રવિવારે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે, આરોપીઓને ઘટના સ્થળ - કુવાણા ગામ - પર લાવવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા Crimescene Reconstruction કરવામાં આવ્યું, જ્યાં આરોપીઓએ કેવી રીતે હત્યાને અંજામ આપ્યો અને ક્યાં ભાગી ગયા તે અંગે વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી. પોલીસે પંચોની હાજરીમાં સમગ્ર ઘટનાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું.