જામનગરના નવરાત્રિ આયોજક સામે વધુ એક FIR, કુલ સંખ્યા પાંચ પર પહોંચી
જામનગરના નવરાત્રિ આયોજક સામે વધુ એક FIR, કુલ સંખ્યા પાંચ પર પહોંચી
Published on: 04th August, 2026

જામનગરના અગ્રણી નવરાત્રિ આયોજક સંજય ચેતરિયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જેના પગલે તેમની સામેની કુલ ફરિયાદોની સંખ્યા પાંચ થઈ ગઈ છે. એક વેપારીએ ફરિયાદ કરી છે કે ચેતરિયાએ તેમના ગોડાઉનની મુલાકાત લઈને સસ્તા અનાજના ઘઉંનો વીડિયો બનાવ્યો અને પુરવઠા વિભાગમાં ફરિયાદ કરવાની તેમજ પોતાની YouTube ચેનલ પર વીડિયો અપલોડ કરીને વેપાર બંધ કરાવી દેવાની ધમકી આપી. આ ધમકી આપીને તેની પાસેથી રૂ. 3 લાખ બળજબરીથી પડાવ્યા અને વધુ રૂ. 2 લાખની માંગણી કરી સતત ધમકીઓ આપી.