પ્રેમસંબંધની શંકાએ 16 વર્ષના કિશોરની હત્યા
પ્રેમસંબંધની શંકાએ 16 વર્ષના કિશોરની હત્યા
Published on: 14th September, 2026

જામનગર નજીક દરેડ ગામમાં પ્રેમસંબંધની શંકાને કારણે 16 વર્ષના કિશોરની હત્યાના ચકચારી પ્રકરણમાં પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લીધા છે. મૃતક કિશોર સાગર રમેશભાઈ ખરા અને એક તરુણી વચ્ચે પ્રેમસંબંધ હોવાનું જાણ થતાં તરુણીના પિતા દિનેશ જેઠાભાઈ ગોહીલે તેને ઘરે બોલાવી, પોતાના ભાઈ જગદીશ, મિત્રો રામકેશ ઉર્ફે પિન્ટુ પ્રેમનારાયણ પ્રજાપતિ અને અભી અગ્રાવત સાથે મળી ધોકા વડે નિર્મમ મારમારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો આક્ષેપ છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.