અમદાવાદ વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ: આરોપીઓ સાથે પોલીસનું રિકન્સ્ટ્રક્શન
અમદાવાદ વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ: આરોપીઓ સાથે પોલીસનું રિકન્સ્ટ્રક્શન
Published on: 20th July, 2026

અમદાવાદના રામોલમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં 18 જુલાઈના રોજ થયેલા બ્લાસ્ટમાં 10 લોકોના મોત થયા હતા. આ કેસમાં આરોપી મેહુલ ડોડિયા અને સાદિક સૈયદના રિમાન્ડ મળ્યા બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી રિકન્સ્ટ્રક્શન અને પંચનામું કર્યું. પોલીસ આરોપીઓને ઘટનાસ્થળે લાવી તપાસ કરી રહી છે કે તેઓ કઈ જગ્યાએ હતા અને ઘટના કેવી રીતે બની. આરોપીઓના ફોન બળી ગયા હોવાની માહિતીની પણ તપાસ ચાલી રહી છે. આ ફેક્ટરી ભાડાની હતી અને જમીન માલિકની પણ પૂછપરછ થશે.