દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં ACBની મોટી કાર્યવાહી, AAPના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં ACBની મોટી કાર્યવાહી, AAPના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ
Published on: 18th August, 2026

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં ACBની મોટી કાર્યવાહી હેઠળ AAPના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી જલ બોર્ડના STPના ટેન્ડરમાં કથિત અનિયમિતતાઓ અને 1.52 કરોડ રૂપિયાની લાંચના મામલે આ કાર્યવાહી થઈ છે. તપાસમાં ટેકનિકલ શરતોમાં ફેરફાર કરીને એક ખાસ કંપનીને લાભ આપવાનો અને નાણાં બોગસ ફર્મ્સ મારફતે ફેરવવાનો આરોપ છે. આ ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે અને AAPએ ભાજપ પર પ્રહાર કર્યા છે.