ભારતીય શેરબજારમાં ભારે અસ્થિરતા
ભારતીય શેરબજારમાં ભારે અસ્થિરતા
Published on: 06th June, 2026

ગત ટ્રેડિંગ સપ્તાહ ભારતીય શેરબજારમાં મોટા ઉતાર-ચઢાવ અને તીવ્ર અસ્થિરતા જોવા મળી. વૈશ્વિક સ્તરે ભૌગોલિક રાજકીય તણાવ, ખાસ કરીને મધ્ય-પૂર્વ સંકટ અને યુએસ ટેરિફ નીતિઓએ બજારને નબળું પાડ્યું. RBI એ રેપો રેટ 5.25% પર યથાવત્ રાખ્યો, પરંતુ ગ્રોથ અંદાજ ઘટાડ્યો. સ્થાનિક રોકાણકારોનો પ્રવાહ અને સારા ચોમાસાની અપેક્ષા જેવા પરિબળો બજારને ટેકો આપી રહ્યા છે. રોકાણકારોએ સાવચેતી સાથે Quality Stocks પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.