હિંમતનગર રેડક્રોસ સોસાયટીમાં રક્તદાન શિબિર યોજાઈ.
હિંમતનગર રેડક્રોસ સોસાયટીમાં રક્તદાન શિબિર યોજાઈ.
Published on: 08th May, 2026

હિંમતનગરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના હોલમાં તાજેતરમાં રાધિકા શોપર્સ પરિવારના ગૌતમકુમાર અને અંજુબેનના પુત્ર સ્વ.નીલ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શ્રાદ્ધાંજલિ આપવાના આશ્યથી જીવન રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. જે પ્રસંગે સ્વ.નીલ પટેલના માતા-પિતા અને પરિવારજનો, શહેરના અગ્રણીઓ, રેડક્રોસના હોદ્દેદારો, તબીબો, પાલિકાના નવા ચૂંટાયેલા સદસ્યો અને વેપારીઓ સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું હતું. આ રક્તદાન શિબિરમાં 175 રક્તદાતાઓએ રકતદાન કર્યા બાદ સ્વ.નીલના પરિવાર દ્વારા રક્તદાતાઓને સ્મૃતિચિન્હ આપી પ્રોત્સાહિત કર્યા હતા.