વિશ્વ નાળિયેર દિવસ: નાળિયેર હવે પેકેજ્ડ વોટર અને કોકોપીટ ઉદ્યોગોનો બન્યું સાથી
વિશ્વ નાળિયેર દિવસ: નાળિયેર હવે પેકેજ્ડ વોટર અને કોકોપીટ ઉદ્યોગોનો બન્યું સાથી
Published on: 02nd September, 2026

વિશ્વ નાળિયેર દિવસ 02 સપ્ટેમ્બરે નાળિયેરના આર્થિક અને પર્યાવરણીય મહત્વ અંગે જાગૃતિ લાવવા ઉજવાય છે. વલસાડ જિલ્લામાં 3,000 હેક્ટરમાં નાળિયેરી વાવેતર થાય છે. દરિયાકાંઠાની ખારાશવાળી જમીન તેના માટે અનુકૂળ છે. નાળિયેરીના વૃક્ષો ભારે પવન સામે રક્ષણ આપે છે. કોકોપીટની સોઇલલેસ કલ્ચરમાં માંગ વધી છે, અને નાળિયેર પાણી હવે પેકેજ્ડ સોફ્ટ ડ્રિન્ક તરીકે વેચાઈ રહ્યું છે. પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધનથી ખેડૂતોની આવક વધી રહી છે.