નર્મદા સાગબારા જંગલ વિવાદ ઉકેલવાના મંત્રીઓના દાવાઓનું 24 કલાકમાં સુરસુરિયું
નર્મદા સાગબારા જંગલ વિવાદ ઉકેલવાના મંત્રીઓના દાવાઓનું 24 કલાકમાં સુરસુરિયું
Published on: 01st September, 2026

નર્મદાના સાગબારા જંગલ ખાતે 23 દિવસ ચાલેલા આદિવાસી ખેડૂતોના આંદોલન બાદ મંત્રીઓએ વિવાદ ઉકેલવાનો દાવો કર્યો હતો, પરંતુ 24 કલાકમાં જ પરિસ્થિતિ ફરી વણસી. નાલ ગામના ખેડૂતો ખેડાણ કરવા જતા વન વિભાગના કર્મચારીઓ સાથે ફરી બબાલ થઈ. ખેડૂતોનો આક્ષેપ છે કે મંત્રીઓએ માત્ર પારણા કરાવ્યા, પરંતુ આદિવાસીઓના હક-અધિકારો પર ધ્યાન આપ્યું નથી. વનમંત્રીએ 90 દિવસમાં સનદ આપવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ તેની કોઈ સ્પષ્ટતા નથી. આ ઘટના ગુજરાતના રાજકારણમાં અનેક પ્રશ્નો ઊભા કરે છે.