નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદમાં નવો વળાંક!
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદમાં નવો વળાંક!
Published on: 02nd September, 2026

નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલ ધરણાના અંતના ગણતરીના દિવસોમાં જ નાલ ગામના આદિવાસી ખેડૂતોને ખેડાણ કરવા જતાં વન વિભાગ સાથે ફરી બબાલ થઈ. 23 દિવસના આંદોલન બાદ મંત્રીઓએ ઉકેલનો દાવો કર્યો હતો, પરંતુ જમીની હકીકત અલગ છે. વન અધિકાર અધિનિયમ (FRA) હેઠળના દાવાઓ પેન્ડિંગ હોવા છતાં વન વિભાગ દ્વારા ખેડૂતોને ખેડાણ કરતાં અટકાવવાના આક્ષેપથી મુદ્દો ફરી ગરમાયો છે. કોંગ્રેસે નિષ્પક્ષ તપાસ અને જવાબદાર અધિકારી પર કાર્યવાહીની માંગ કરી છે.