એનાલોગ પનીર-બટર-ચીઝ પર પ્રતિબંધ: ફૂડ બજારમાં ભાવવધારો અને વેપાર પર ગંભીર અસર
એનાલોગ પનીર-બટર-ચીઝ પર પ્રતિબંધ: ફૂડ બજારમાં ભાવવધારો અને વેપાર પર ગંભીર અસર
Published on: 08th August, 2026

રાજકોટમાં એનાલોગ પનીર, બટર અને ચીઝ પર પ્રતિબંધને કારણે ફૂડ બજારમાં હાહાકાર મચી ગયો છે. ૯૫% ધંધો આ ઉત્પાદનો પર નિર્ભર છે. ગેસ સિલિન્ડરની અછત બાદ આ પ્રતિબંધે સ્વૈચ્છિક લોકડાઉન જેવી સ્થિતિ ઊભી કરી છે. ફૂડ વિભાગના દરોડાથી હોટલ, રેસ્ટોરન્ટ, પીઝા પાર્લર, કેફે, કેટરર્સ અને સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓમાં ફફડાટ છે. અસલી પનીર, બટર અને ચીઝના ભાવવધારાને કારણે વેપાર કરવો મુશ્કેલ બન્યો છે. જો આ જ સ્થિતિ રહી તો ફૂડ આઈટમોના ભાવ ત્રણ ગણા વધી શકે છે.