રાખી સાવંતે હિન્દુ ધર્મ છોડવા અંગે મૌન તોડ્યું
રાખી સાવંતે હિન્દુ ધર્મ છોડવા અંગે મૌન તોડ્યું
Published on: 08th September, 2026

બોલિવૂડની 'ડ્રામા ક્વીન' રાખી સાવંત તેના અંગત જીવન અને વિવાદોને કારણે ચર્ચામાં રહે છે. બીજા લગ્ન સમયે ધર્મ પરિવર્તન અંગે ટ્રોલ્સના સવાલો પર રાખીએ ખુલીને વાત કરી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે 'હિન્દુ ધર્મમાં શું ખામી હતી?', ત્યારે રાખીએ સ્પષ્ટ કર્યું કે હિન્દુ ધર્મમાં કોઈ ખામી નહોતી. તેણે જણાવ્યું કે મુસ્લિમ સાથે લગ્ન (નિકાહ) કરવાના કારણે તેને ઈસ્લામ સ્વીકારવો પડ્યો. રાખી પોતાને નસીબદાર માને છે કે તેને મક્કા-મદીનાનો બુલાવો આવ્યો. તલાક બાદ પણ તે પોતાને ઈસ્લામ સાથે જોડેલી માને છે અને અલ્લાહમાં વિશ્વાસ રાખે છે.