'કોકરોચ' પર 'શક્તિમાન' મુકેશ ખન્નાનો રોષ, Gen-Z ના વિરોધ પર કરી કડક ટિપ્પણી
'કોકરોચ' પર 'શક્તિમાન' મુકેશ ખન્નાનો રોષ, Gen-Z ના વિરોધ પર કરી કડક ટિપ્પણી
Published on: 01st August, 2026

દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) અને વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા વિરોધ પ્રદર્શન પર અભિનેતા મુકેશ ખન્નાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે Gen-Z ના વિરોધ પ્રદર્શનની ભાષાની કડક શબ્દોમાં નિંદા કરી છે. ખન્નાએ ચેતવણી આપી છે કે આ વિરોધ પ્રદર્શનો ભવિષ્યમાં નોકરી અને વીઝા મેળવવામાં મુશ્કેલી ઊભી કરી શકે છે. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓ તેમના નામે સ્વાર્થ સાધી રહ્યા છે અને જો તેઓ સાવધાન નહીં થાય તો તેમનું કરિયર બરબાદ થઈ શકે છે.