પિતાના નિધનથી દુઃખી તારક મહેતાના સ્ટાર એક્ટરે કહ્યું: "એમની અંતિમ ઈચ્છા પૂરી ના કરી શક્યો"
પિતાના નિધનથી દુઃખી તારક મહેતાના સ્ટાર એક્ટરે કહ્યું: "એમની અંતિમ ઈચ્છા પૂરી ના કરી શક્યો"
Published on: 01st August, 2026

લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના અભિનેતા તન્મય વેકારિયા (બાઘા) હાલમાં અંગત દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે. જૂનમાં તેમના પિતા અરવિંદ વેકારિયાનું નિધન થયું હતું. તાજેતરમાં શોની 18મી વર્ષગાંઠની ઉજવણીમાં, તન્મય ભાવુક થઈને પિતાને યાદ કર્યો. તેમણે જણાવ્યું કે, પિતાએ એક ઈચ્છા વ્યક્ત કરી હતી જે તેઓ પૂરી કરી શક્યા નહીં. પિતાએ કહ્યું હતું કે, "કામ પૂરું કરજે, પ્રોડ્યુસરને નુકસાન ન થવું જોઈએ." પિતા શોમાં બાઘા-બાવરીની લવ સ્ટોરી જોવા માંગતા હતા, પરંતુ તે પહેલાં જ તેમનું નિધન થયું.