ડોન 3 વિવાદ: રણવીર સિંહના પિતા ઉકેલશે 45 કરોડની નાણાંકીય ગુંચ
ડોન 3 વિવાદ: રણવીર સિંહના પિતા ઉકેલશે 45 કરોડની નાણાંકીય ગુંચ
Published on: 18th August, 2026

'ડોન થ્રી' ફિલ્મ છોડ્યા બાદ રણવીર સિંહ પાસેથી નિર્માતા દ્વારા માંગવામાં આવેલી 45 કરોડ રૂપિયાની નુકસાનીનો મુદ્દો હવે વધુ ગરમાયો છે. આ નાણાંકીય ગુંચ ઉકેલવા માટે રણવીરના પિતા જગજિતસિંહ ભવનાની સિને સંગઠન ઇમ્પાના સભ્યોને મળવાના છે. અગાઉ, રણવીર સિંહ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત થઈ હતી, જે પાછો ખેંચી લેવાયો હતો. તેમ છતાં, 45 કરોડ રૂપિયાના વળતરનો મામલો હજી વણઉકેલ્યો છે. જોકે, રણવીર સિંહે આ બાબતે વકીલો મારફતે ઇમ્પાને દૂર રહેવા જણાવ્યું હતું.