'મી ટૂ' વિવાદે આલોક નાથનું જીવન બદલ્યું, 'સંસ્કારી બાબુજી' ગુમનામીમાં
'મી ટૂ' વિવાદે આલોક નાથનું જીવન બદલ્યું, 'સંસ્કારી બાબુજી' ગુમનામીમાં
Published on: 11th July, 2026

'મી ટૂ' (Me Too) મુવમેન્ટ દરમિયાન અભિનેતા આલોક નાથ પર લાગેલા ગંભીર આરોપો બાદ તેઓ જાહેર જીવનથી દૂર થઈ ગયા છે. તેમના મિત્ર રાજેશ પુરીના જણાવ્યા અનુસાર, આ આરોપોની તેમના જીવન પર ખરાબ અસર પડી છે. આલોક નાથ હવે એકાંતમાં શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા છે અને તેમણે દારૂ પીવાનું સંપૂર્ણપણે છોડી દીધું છે. તેઓ આધ્યાત્મિકતા તરફ વળ્યા છે અને પોતાના ભૂતકાળના કાર્યો પર પસ્તાવો વ્યક્ત કર્યો છે.