'સતલુજ' ફિલ્મને OTT થી હટાવવા અંગે અન્નુ કપૂરે કહ્યું સુપ્રીમ કોર્ટ જાઓ
'સતલુજ' ફિલ્મને OTT થી હટાવવા અંગે અન્નુ કપૂરે કહ્યું સુપ્રીમ કોર્ટ જાઓ
Published on: 18th July, 2026

દિલજીત દોસાંજની ફિલ્મ 'સતલુજ'ને OTT પરથી હટાવવાના નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો જોવા મળ્યો. જાણીતા અભિનેતા અન્નુ કપૂરે આ મામલે ફિલ્મ નિર્માતાઓને સલાહ આપી છે કે, જનતાની સહાનુભૂતિ મેળવવાને બદલે તેમણે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈને સરકારના નિર્ણયને પડકારવો જોઈએ. અન્નુ કપૂરે જણાવ્યું કે, જો ફિલ્મ સેન્સર બોર્ડ પાસેથી પરવાનગી મેળવી શકી નથી, તો તેને OTT પર કેમ રિલીઝ કરાઈ? જો તેમને અન્યાય થયો હોય, તો કાનૂની માર્ગ અપનાવવો જોઈએ.