કચ્છ કાર્નિવલ: રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ સંસ્કૃતિને દેશ-દુનિયામાં ઉજાગર કરતો ઉત્સવ ગણાવ્યો
કચ્છ કાર્નિવલ: રાજ્યમંત્રી ત્રિકમ છાંગાએ સંસ્કૃતિને દેશ-દુનિયામાં ઉજાગર કરતો ઉત્સવ ગણાવ્યો
Published on: 17th July, 2026

ભુજ ખાતે કચ્છ કાર્નિવલનું ભવ્ય આયોજન થયું, જેમાં 1200થી વધુ કલાકારોએ 48 ફ્લોટ સાથે કચ્છની સંસ્કૃતિ અને કળાનું અદભૂત પ્રદર્શન કર્યું. આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમ છાંગા, પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને સાંસદ વિનોદ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રી છાંગાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી કચ્છ કાર્નિવલ શરૂ થયો અને તેના દ્વારા કચ્છની વિશેષ સંસ્કૃતિ દેશ-દુનિયામાં ઉજાગર થઈ રહી છે. આ ઉત્સવે કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજની શુભેચ્છા પાઠવી, અનેક કલાત્મક કૃતિઓ રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા.