અનુપમ ખેર આલિયા ભટ્ટના બચાવમાં, ટ્રોલર્સ પર વરસ્યા.
અનુપમ ખેર આલિયા ભટ્ટના બચાવમાં, ટ્રોલર્સ પર વરસ્યા.
Published on: 20th May, 2026

કાન્સમાં હાજરી બાદ આલિયા ભટ્ટને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. હવે અનુપમ ખેરે જાહેરમાં આલિયાનું સમર્થન કર્યું છે. અનુપમ ખેરે કહ્યું કે આલિયાની ટીકા કરનારાઓ પર તેમને ગુસ્સો નહીં પરંતુ દયા આવે છે. તેમના મુજબ કેટલાક લોકો પાસે જીવનમાં ખાસ કંઈ કામ ન હોવાથી તેઓ જાણીતી વ્યક્તિઓની ટીકા કરીને માત્ર લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરે છે. તેમણે આવા ટ્રોલર્સને “નકામા લોકો” ગણાવી આલિયાના સમર્થનમાં મજબૂત નિવેદન આપ્યું.