નર્મદા નદીના કિનારે આવેલા નારેશ્વરધામમાં શ્રી રંગ અવધૂત મહારાજની બાયોપિકનું ટીઝર ગુરુપૂર્ણિમાએ થશે લોન્ચ
નર્મદા નદીના કિનારે આવેલા નારેશ્વરધામમાં શ્રી રંગ અવધૂત મહારાજની બાયોપિકનું ટીઝર ગુરુપૂર્ણિમાએ થશે લોન્ચ
Published on: 28th July, 2026

પવિત્ર યાત્રાધામ નારેશ્વરધામ ખાતે ગુરુપૂર્ણિમાના શુભ અવસરે, પ.પૂ. શ્રી રંગ અવધૂત મહારાજના જીવન પર આધારિત ગુજરાતી બાયોપિક ફ્લ્મિ 'રંગ અવધૂત'નું ટીઝર 29 જુલાઈના રોજ રજૂ કરાશે. આ ખાસ અવસરે દેશ-વિદેશથી હજારો ભક્તો નારેશ્વરધામ ખાતે ઉમટી પડશે. આ બાયોપિક પૂજ્ય બાપજીના બાળપણથી લઈને તેમના આધ્યાત્મિક જીવન, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન, નર્મદા પરિક્રમા, અને તેમના જીવનમંત્રોને દર્શાવશે. આ ફ્લ્મિ નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ, ગુરુભક્તિ અને રાષ્ટ્રપ્રેમ સાથે જોડવાનો પ્રયાસ કરશે.