ફ્લેટ ખરીદતી વખતે વાસ્તુ ટિપ્સ
ફ્લેટ ખરીદતી વખતે વાસ્તુ ટિપ્સ
Published on: 15th August, 2026

ફ્લેટ ખરીદવું એ દરેકનું સ્વપ્ન છે, તેથી વાસ્તુશાસ્ત્રને મહત્વ અપાય છે. એપાર્ટમેન્ટનો ફ્લોર (માળ) પણ ઘરની દિશા અને મુખ્ય દ્વાર જેટલો જ મહત્ત્વનો છે. વાસ્તુ પંચતત્વ (પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ) પર આધારિત છે, જે ઊંચાઈ વધતા બદલાય છે. ગ્રાઉન્ડ ફ્લોર સ્થિરતા અને સુરક્ષા આપે છે. પહેલોથી ત્રીજો ફ્લોર સંતુલિત, માનસિક શાંતિ અને પારિવારિક સુમેળ માટે શ્રેષ્ઠ છે. ઉપલા ફ્લોર પર વાયુ-આકાશ તત્વનો પ્રભાવ વધુ હોય છે. ટોપ ફ્લોર પણ દિશા યોગ્ય હોય તો સકારાત્મક હોઈ શકે. પૂર્વ, ઉત્તર, ઉત્તર-પૂર્વ દિશામાં મુખ્ય દ્વાર શુભ મનાય છે.