Menu
પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા દંપતીને અંતિમ વિદાય: ચાર લોકોના પાર્થિવદેહ વતન વિસનગર લાવવામાં આવ્યા, સ્મશાનગૃહમાં શોકનું મોજું
પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા દંપતીને અંતિમ વિદાય: ચાર લોકોના પાર્થિવદેહ વતન વિસનગર લાવવામાં આવ્યા, સ્મશાનગૃહમાં શોકનું મોજું
Published on: 15th June, 2025

અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા વિસનગરના ચાર લોકોના પાર્થિવ દેહને વતન લાવવામાં આવ્યા છે. મૃતકોમાં દિનેશભાઈ પટેલ અને કૃષ્ણાબેન પટેલ તેમજ દશરથભાઈ પટેલ અને ડાહી ગૌરીબેન પટેલ - બે દંપતીનો સમાવેશ થાય છે. આ ચારેય વ્યક્તિ લંડનમાં રહેતા તેમના પુત્રને મળવા જઈ રહ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા વિસનગરથી એમ્બ્યુલન્સ મોકલીને મૃતદેહોને વતન લાવવામાં આવ્યા. મૃતદેહો આવતાં જ સમગ્ર વિસનગર શહેર શોકમાં ગરકાવ થઈ ગયું. પરિવારજનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. સાર્વજનિક સ્મશાનગૃહ ખાતે ચારેય મૃતકોના અંતિમ સંસ્કાર વિધિવત રીતે કરવામાં આવ્યા. જિલ્લા વહીવટી તંત્રમાંથી પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ, ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ અને પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. પોલીસે સમગ્ર કાર્યવાહી દરમિયાન ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખ્યો હતો.