Menu
સરકાર જવાબદારી નક્કી કરે અને વળતર આપે: અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે ખડગેની માગણી
સરકાર જવાબદારી નક્કી કરે અને વળતર આપે: અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે ખડગેની માગણી
Published on: 14th June, 2025

અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ 12 જૂને ક્રેશ થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, મુકુલ વાસનિક, કર્ણાટના નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર આજે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી છે. કોંગ્રેસ નેતાઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તો સાથે પણ મુલાકાત કરી છે અને આ દુઃખ સમયમાં મૃતકોના પરિવારજનો તેમજ ઈજાગ્રસ્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ખડગેએ કેન્દ્ર સરકારને દુર્ઘટના મામલે જવાબદારી નક્કી કરવા તેમજ પીડિતના પરિવારને વળતર આપવાની માંગ કરી છે.