પોરબંદર યાર્ડમાં જાપાનની ‘મિયાઝાકી’ અને અફઘાનિસ્તાનની ‘નૂરજહાં’ કેરીનું આગમન
પોરબંદર યાર્ડમાં જાપાનની ‘મિયાઝાકી’ અને અફઘાનિસ્તાનની ‘નૂરજહાં’ કેરીનું આગમન
Published on: 12th June, 2026

ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાં હવે વૈશ્વિક કૃષિ પ્રયોગો થઈ રહ્યા છે. જૂનાગઢના ચોરવાડ ગામના ખેડૂત વરજાગભાઈ મેરામણભાઈ વાજાએ ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી જાપાનની અત્યંત મોંઘી ‘મિયાઝાકી’ અને અફઘાનિસ્તાનની ‘નૂરજહાં’ કેરીનું સફળ ઉત્પાદન કર્યું છે. આ દુર્લભ કેરીઓ પ્રથમ વખત પોરબંદર માર્કેટ યાર્ડમાં પ્રદર્શન અને વેચાણ માટે લવાયા બાદ સૌમાં કુતૂહલ સર્જાયું હતું. મિયાઝાકી કેરીનું એક ફળ રૂ. 1700માં વેચાયું, જ્યારે નૂરજહાં કેરી 1 કિલોથી વધુ વજન ધરાવે છે. આ પ્રયોગ કૃષિ જગત માટે પ્રેરણારૂપ છે.