સાગબારાના ખેડૂતો જંગલ જમીન મુદ્દે બળદો અને હળ સાથે ધરણાં પર ઉતર્યા
સાગબારાના ખેડૂતો જંગલ જમીન મુદ્દે બળદો અને હળ સાથે ધરણાં પર ઉતર્યા
Published on: 10th August, 2026

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આદિવાસી વિસ્તારોમાં જંગલની જમીન ખેડવાના મુદ્દે ખેડૂતો દ્વારા ખોપી ગામે બળદો અને હળ સાથે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું. સુરત જિલ્લાના ઉમરપાડાના વન વિભાગના કર્મચારીઓ દ્વારા આ જમીન ખેડવા દેવામાં ન આવતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો. છેલ્લા એક માસથી આ મુદ્દે સંઘર્ષ કરી રહેલા લગભગ બાર ગામના આદિવાસી ખેડૂતો, જેઓ વર્ષોથી આ જમીન ખેડી રહ્યા છે, તેમને ન્યાયની માંગ કરી. વિશ્વ આદિવાસી દિને આ ધરણાં પ્રદર્શનને વેગ મળ્યો.