અમદાવાદના હાથીજણ સર્કલ પાસે ટ્રક-બાઇક અકસ્માતમાં આધેડનું મોત
અમદાવાદના હાથીજણ સર્કલ પાસે ટ્રક-બાઇક અકસ્માતમાં આધેડનું મોત
Published on: 10th August, 2026

અમદાવાદના હાથીજણ સર્કલ નજીક ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં પૂરઝડપે આવી રહેલા ટ્રકે બાઇકને ટક્કર મારતા આધેડનું ઘટનાસ્થળે જ મોત થયું. મૃતક મેલા ચૌહાણ તેમના પત્ની રંજનબેન અને ૧૦ વર્ષના પૌત્ર સાથે સંબંધીના ઘરેથી પરત ફરી રહ્યા હતા. આ ભયાનક ટક્કરમાં બાઇક સવાર ત્રણેય જણા રોડ પર પટકાયા હતા. ટ્રકનું ટાયર મેલા ચૌહાણ પર ફરી વળતા તેમનું મૃત્યુ થયું. ઇજાગ્રસ્ત પત્ની અને પૌત્રને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા. ટ્રક ચાલક ફરાર. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.