દાહોદના સિંગવડમાં ખાતરની અછત
દાહોદના સિંગવડમાં ખાતરની અછત
Published on: 21st August, 2026

સિંગવડ તાલુકામાં ખાતરની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ ડેપો પર લાંબી કતારોમાં ઊભા રહી રહ્યા છે. માત્ર બે-ત્રણ ડેપો પર પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ હોવાથી અન્ય ડેપો પર ખાલી હાથે ફરવું પડી રહ્યું છે. ખાતર ઉપલબ્ધ હોય ત્યાં ખેડૂતોના ધસારાને કારણે વ્યવસ્થા ખોરવાઈ જાય છે, જેના કારણે ફરજિયાત ટોકન વ્યવસ્થા કરાઈ છે. અપૂરતા પુરવઠાને કારણે ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે.