ડભોઈના પલાસવાડા રેલવે ફાટક પર ઓવરબ્રિજનું કામ યુદ્ધના ધોરણે
ડભોઈના પલાસવાડા રેલવે ફાટક પર ઓવરબ્રિજનું કામ યુદ્ધના ધોરણે
Published on: 21st August, 2026

ડભોઈના પલાસવાડા ખાતે રેલવે ફાટક પર બની રહેલા નવા રેલવે ઓવરબ્રિજ (ROB) ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેનાથી સ્થાનિકો અને પ્રવાસીઓને રાહત મળશે. વર્ષોથી ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહેલા આ માર્ગ પર બ્રિજનું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધતાં, ટૂંક સમયમાં ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે. દિવસ દરમિયાન ટ્રેનો પસાર થવાને કારણે ફાટક વારંવાર બંધ રહેતું, જેનાથી લાંબી કતારો લાગતી હતી. આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાણોદ, કરનાળી, પોઇચા અને વઢવાણા તળાવ જેવા પ્રખ્યાત સ્થળોએ જવા માટે પણ મુખ્ય છે. નિર્માણ પૂર્ણ થતાં મુસાફરી સરળ, ઝડપી અને સુરક્ષિત બનશે.