જૂનાગઢ પ્રાકૃતિક કૃષિ હાટને 5 વર્ષની સફળતા
જૂનાગઢ પ્રાકૃતિક કૃષિ હાટને 5 વર્ષની સફળતા
Published on: 28th July, 2026

જૂનાગઢના સરદારબાગમાં દર રવિવારે યોજાતું પ્રાકૃતિક કૃષિ હાટ પાંચ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. 2021માં શરૂ થયેલા આ બજારમાં જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતર વિનાના શુદ્ધ શાકભાજી, અનાજ, કઠોળ અને તેલ શહેરીજનોને મળે છે. આ બજાર માત્ર ખરીદ-વેચાણનું જ નહીં, પરંતુ ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે વિશ્વાસ અને સ્નેહનું પ્રતિક બન્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ આ પ્રયોગ સફળ રહ્યો છે.