Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
ચાલુ મહિનો આજે
ગૌરીશંકર જોશી પુણ્યતિથિ
ગૌરીશંકર જોશી પુણ્યતિથિ

' મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ વિચારવાની શરૂઆત કરે તો અડધું જગત શાંત થઇ જાય ' આ તત્વજ્ઞાનના સર્જક ધૂમકેતુનો જન્મ ૧૨ ડિસેમ્બર, ૧૮૯૨ના રોજ સૌરાષ્ટ્રના જલારામધામ વીરપુરમાં થયો હતો. તેમનું મૂળનામ ગૌરીશંકર ગૌવર્ધનરામ જોશી છે. તેમણે ૧૯૧૪ માં મૅટ્રિક પાસ કર્યુ હતુ. ત્યારબાદ ૧૯૨૦માં અંગ્રેજી -સંસ્કૃત વિષયો સાથે બી.એ (બેચલર ઓફ આર્ટસ) ની પદવી મેળવી હતી. ગોંડલ રાજ્યની રેલવે ઑફિસમાં અને પછી ગોંડલની હાઈસ્કૂલમાં નોકરી કરી હતી. ૧૯૨૩થી અમદાવાદમાં સ્થાયી થયા. પ્રારંભમાં અંબાલાલ સારાભાઈના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે અને પછી સર ચીનુભાઈ બેરોનેટના બંગલાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું. નાનપણમાં સાંભળેલી વાર્તાઓ, બાલ્યાવસ્થાનો વાચનશોખ, શ્રીમન્ નથુરામ શર્માના આશ્રમનું પુસ્તકાલય, આસપાસની પ્રકૃતિ આદિ ધૂમકેતુના સાહિત્યસર્જનનાં મહત્વનાં પ્રેરક બળો રહ્યાં. ૧૯૪૪માં વડોદરામાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫ મા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ રહ્યા હતા.  ૧૯૫૭-૫૮માં સાહિત્ય અકાદમી, દિલ્હીના ગુજરાતી ભાષાના સલાહકાર બોર્ડમાં સભ્ય રહ્યા હતા. સાહિત્ય સર્જન ક્ષેત્રે તણખામંડળ ભાગ ૧ થી ૪, અવશેષ, પ્રદીપ, ત્રિભેટો, આકાશદીપ, આમ્રપાલી, ચંદ્રલેખા, જેવા વાર્તાસંગ્રહો ઉપરાંત અનેક ઐતિહાસિક અને સામાજિક નવલકથાઓ તથા જીવનપંથ અને જીવનરંગ જેવા આત્મકથાનકો લખ્યાં છે. ટૂંકીવાર્તાના ક્ષેત્રે પોસ્ટ ઓફિસ, ભૈયાદાદા વગેરે આપણી ભાષામાં સર્વાધિક લોકપ્રિય વાર્તાઓ રહી છે. ગુજરાતી સાહિત્યમાં સર્જનાત્મક યોગદાન બદલ ૧૯૩૫માં ધૂમકેતુને રણજીતરામ સુવર્ણચંદ્રક આપવાનું નક્કી થયું હતું પણ તેઓએ તેને પરત કર્યો હતો. ૧૯૫૩માં તેઓને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરાયો હતો. ગુજરાતી ટૂંકીવાર્તાના સીમાસ્તંભ અને અત્યંત લોકપ્રિય સાહિત્યકાર ધૂમકેતુનું ૧૧ માર્ચ, ૧૯૬૫ના રોજ ૭૨ વર્ષની વયે અવસાન થયું હતું.

11th March

Read more
ગૌરીશંકર જોશી પુણ્યતિથિ
11th March

' મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ વિચારવાની શરૂઆત કરે તો અડધું જગત શાંત થઇ જાય '

આ તત્વજ્ઞાનના સર્જક ધૂમકેતુનો જન્મ ૧૨ ડિસેમ્બર, ૧૮૯૨ના રોજ સૌરાષ્ટ્રના જલારામધામ વીરપુરમાં થયો હતો. તેમનું મૂળનામ ગૌરીશંકર ગૌવર્ધનરામ જોશી છે. તેમણે ૧૯૧૪ માં મૅટ્રિક પાસ કર્યુ હતુ. ત્યારબાદ ૧૯૨૦માં અંગ્રેજી -સંસ્કૃત વિષયો સાથે બી.એ (બેચલર ઓફ આર્ટસ) ની પદવી મેળવી હતી. ગોંડલ રાજ્યની રેલવે ઑફિસમાં અને પછી ગોંડલની હાઈસ્કૂલમાં નોકરી કરી હતી.

૧૯૨૩થી અમદાવાદમાં સ્થાયી થયા....

Read more
વિજય હજારે જન્મજયંતી
વિજય હજારે જન્મજયંતી

વિજય હજારેનો જન્મ ૧૧ માર્ચ,૧૯૧૫ ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં એક મરાઠી પરિવારમાં થયો હતો. તેઓ સાંગલીના એક શિક્ષકનાં આઠ બાળકોમાંનો એક હતા. જ્યારે હજારે ક્રિકેટમાં આવી રહ્યા હતા,ત્યારે તેમને હિન્દુ જીમખાના દ્વારા ક્રિકેટ રમવા માટે ઓફર કરવામાં આવી હતી. તેમણે શરૂઆતમાં આ ઓફર ફગાવી દીધી હતી. હજારે તેમના જમણા હાથથી બેટિંગ કરતા હતા અને જમણા હાથથી મધ્યમ ગતિ બોલ કરતા હતા. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૨૩૮ મેચ રમી હતી.તેમણે ૫૮.૩૮ ની સરેરાશથી ૧૮૩૪૦ રન બનાવ્યા.  ભારતીય ક્રિકેટમાં આ પ્રથમ વર્ગનો રેકોર્ડ પહેલા સુનીલ ગાવસ્કરે અને ત્યારબાદ સચિન તેંડુલકરે તોડ્યો હતો. પ્રથમ વર્ગમાં ત્રણ સદી ફટકારનાર હજારે પ્રથમ ભારતીય હતા. ટેસ્ટ ક્રિકેટ રમતી વખતે વિજય હજારેએ ૩૦ ટેસ્ટમાં ૪૭.૬૫ ની સરેરાશથી ૨૧૯૨ રન બનાવ્યા હતા. તેમનો સર્વોચ્ચ સ્કોર અણનમ ૧૬૪ રન છે. જ્યારે ટેસ્ટમાં બોલિંગ કરતા હતા ત્યારે તેમણે ૬૧ ની સરેરાશથી ૨૦ વિકેટ ઝડપી હતી. તેમની શ્રેષ્ઠ બોલિંગ ૪/૨૯ છે. તેમણે ત્રણ વખત મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેનની વિકેટ લીધી હતી. તેથી જ કદાચ બ્રેડમેન મધ્યમ ગતિના બોલરોની સામે એટલા સાવચેત હતા. ૧૯૫૧માં ઈંગ્લેન્ડ સામેની ઘરની શ્રેણી માટે તેમને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે દિલ્હીની પ્રથમ ટેસ્ટમાં અણનમ ૧૬૪ રન બનાવ્યા હતા. આ સમયે ભારતીય દ્વારા આ સૌથી વધુ વ્યક્તિગત સ્કોર હતો. વિજય હજારેની કેપ્ટનશીપ હેઠળ ભારતે પ્રથમ ટેસ્ટ જીતી હતી. ક્રિકેટ પંડિતો માને છે કે કેપ્ટનશીપનું દબાણ તેમના પ્રભાવને અસર કરી ગયું. સુનીલ ગાવસ્કર અને સચિન તેંડુલકર પહેલા ભારતીય ક્રિકેટમાં ઘણા રેકોર્ડ બનાવનાર હજારે પહેલા ભારતીય હતા. તેથી, તેમને પ્રથમ ભારતીય વિક્રમાદિત્ય કહેવા જોઈએ. મહાન ક્રિકેટર સર ડોન બ્રેડમેન અને વિજય મર્ચન્ટ દ્વારા વિજય હજારે વિશે ટિપ્પણી કરવામાં આવી હતી.સર વિજય બ્રેડમેન કહે છે, જો વિજય હજારે કેપ્ટન ન બની શક્યા હોત, તો તે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં ગણાત. વિજય મર્ચન્ટ કહે છે, "કેપ્ટનશીપે વિજય હજારેને મહાન બેટ્સમેન બનવા દીધો ન હતો." પદ્મશ્રી પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર વિજય હજારેની ઇનિંગ્સ ૧૮ ડિસેમ્બર, ૨૦૦૪ ના રોજ કેન્સર સાથે લાંબી લડાઇ બાદ વડોદરામાં સમાપ્ત થઈ હતી. ભારતના એક ઝોનલ-ક્રિકેટ ટૂર્નામેન્ટને "વિજય હઝારે ટ્રોફી" નામ આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.

11th March

Read more
વિજય હજારે જન્મજયંતી
11th March

વિજય હજારેનો જન્મ ૧૧ માર્ચ,૧૯૧૫ ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં એક મરાઠી પરિવારમાં થયો હતો. તેઓ સાંગલીના એક શિક્ષકનાં આઠ બાળકોમાંનો એક હતા. જ્યારે હજારે ક્રિકેટમાં આવી રહ્યા હતા,ત્યારે તેમને હિન્દુ જીમખાના દ્વારા ક્રિકેટ રમવા માટે ઓફર કરવામાં આવી હતી. તેમણે શરૂઆતમાં આ ઓફર ફગાવી દીધી હતી. હજારે તેમના જમણા હાથથી બેટિંગ કરતા હતા અને જમણા હાથથી મધ્યમ ગતિ બોલ કરતા હતા. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૨૩૮ મેચ રમી હતી.તેમણે ૫૮.૩૮ ની સરેરાશથી ૧૮૩૪૦ રન બનાવ્યા. 

ભારતીય ક્રિકેટમાં આ પ્રથમ વર્ગનો રેકોર્ડ પહેલા સુનીલ ગાવસ્કરે અને ત્યારબાદ સચિન તેંડુલકરે તોડ્યો હતો....

Read more