' મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ વિચારવાની શરૂઆત કરે તો અડધું જગત શાંત થઇ જાય '
આ તત્વજ્ઞાનના સર્જક ધૂમકેતુનો જન્મ ૧૨ ડિસેમ્બર, ૧૮૯૨ના રોજ સૌરાષ્ટ્રના જલારામધામ વીરપુરમાં થયો હતો. તેમનું મૂળનામ ગૌરીશંકર ગૌવર્ધનરામ જોશી છે. તેમણે ૧૯૧૪ માં મૅટ્રિક પાસ કર્યુ હતુ. ત્યારબાદ ૧૯૨૦માં અંગ્રેજી -સંસ્કૃત વિષયો સાથે બી.એ (બેચલર ઓફ આર્ટસ) ની પદવી મેળવી હતી. ગોંડલ રાજ્યની રેલવે ઑફિસમાં અને પછી ગોંડલની હાઈસ્કૂલમાં નોકરી કરી હતી.
૧૯૨૩થી અમદાવાદમાં સ્થાયી થયા....