મંદિરમાંથી ચાંદીની પાદુકા ચોરનાર ઝડપાયો:ચાણસ્મા પોલીસે રાધનપુરના શખ્સ પાસેથી 75 હજારની ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો
Published on: 14th June, 2025
ચાણસ્મામાં સાઈબાબા મંદિરની બાજુમાં આવેલો ધુણાવાળો મંદિરમાંથી થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. આરોપી ભરતભાઇ વિભાભાઇ રાવળ, રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામના રહેવાસી, ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયો છે. પોલીસ અધિક્ષક વી.કે. નાઈના માર્ગદર્શન હેઠળ પૂછપરછમાં તેણે 7 જૂન 2025ના રોજ ચાંદીની પાદુકાની ચોરી કરી હોવાની કબૂલાત કરી. પોલીસે અંદાજે 1.5 કિલોગ્રામ ચાંદીની પાદુકા અને રૂ. 5,700 રોકડા કબજામાં લીધા છે, જેનું મુલ્ય રૂ. 75,000 છે.બીએનએસ કલમ 305(ઘ) અને 332(ગ) હેઠળ ગુનો નોંધાયો છે. ઇન્સ્પેક્ટર આર.એચ. સોલંકી અને નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી. ચૌધરીના માર્ગદર્શનમાં કેસ ઉકેલાયો.