થરા પોલીસે ગેસ ટેન્કરમાંથી ઘરેલું રાંધણ ગેસની ચોરીનો પર્દાફાશ કર્યો
થરા પોલીસને વડાગામ નજીક નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક ઇન્ડિયન ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે ઘરેલું રાંધણ ગેસ ચોરી કરીને સિલિન્ડરોમાં ભરવામાં આવી રહ્યો છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડી સ્થળ પરથી પાંચ ભરેલા અને 11 ખાલી સિલિન્ડર, ગેસ રિફિલિંગ માટે વપરાતા સાધનો અને એક છોટા હાથી વાહન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ટેન્કર ચાલક અને અન્ય બે શખ્સોની પૂછપરછ કરતાં આ ગેંગ દ્વારા કાળા બજારમાં ઊંચા ભાવે ગેસ વેચી નફો કમાવવાનો પર્દાફાશ થયો છે.
થરા પોલીસે ગેસ ટેન્કરમાંથી ઘરેલું રાંધણ ગેસની ચોરીનો પર્દાફાશ કર્યો
નળ સે જળ અભિયાનમાં ભ્રષ્ટાચાર: મહીસાગર જિલ્લાના જનોડ ગામના સરપંચ રમેશભાઈ માછીની ધરપકડ.
મહીસાગર જિલ્લાના નળ સે જળ અભિયાન હેઠળ થયેલા રૂ.123 કરોડના ભ્રષ્ટાચાર મામલે CID ક્રાઈમે બાલાસિનોર તાલુકાના જનોડ ગામના સરપંચ રમેશભાઈ રત્નાભાઈ માછીની ધરપકડ કરી છે. સરકારી નીતિ-નિયમોને નેવે મૂકી પાણી સમિતિના સરકારી એકાઉન્ટમાંથી રૂ.1.05 લાખ પોતાના નામે ચેક બનાવી ઉચાપત કરવાનો આરોપ છે. આ ધરપકડ સાથે કૌભાંડમાં કુલ 44 આરોપીઓની ધરપકડ થઈ છે. CID ક્રાઈમ દ્વારા તપાસ તેજ કરવામાં આવી રહી છે.
નળ સે જળ અભિયાનમાં ભ્રષ્ટાચાર: મહીસાગર જિલ્લાના જનોડ ગામના સરપંચ રમેશભાઈ માછીની ધરપકડ.
મેઘરજના લીંબોદ્રાઢુંઢા ગામે ખેતરમાં મહિલાની છેડતી, પતિ પર ધારીયાથી હુમલો
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના લીંબોદ્રાઢુંઢા ગામે ખેતરમાં કામ કરતી 21 વર્ષીય મહિલાની જગદીશ મોહનભાઈ ડામોરે છેડતી કરી. મહિલાએ બૂમાબૂમ કરતાં તેનો પતિ ત્યાં આવી પહોંચ્યો. ઠપકો આપતાં જગદીશે પતિ પર ધારીયાથી હુમલો કરી પગમાં ઈજા પહોંચાડી. આ ઘટનાની મેઘરજ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મેઘરજના લીંબોદ્રાઢુંઢા ગામે ખેતરમાં મહિલાની છેડતી, પતિ પર ધારીયાથી હુમલો
સેનેટરી ઈન્સ્પેક્ટરના શૌચાલયમાં ફોટા પાડતી વખતે બાઈક ચોરાયું
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાના કોન્ટ્રાક્ટ આધારિત આરોગ્ય ઇન્સ્પેક્ટરની બાઈક ભાંખરીયા બસ સ્ટેશન પાસે આવેલ પે એન્ડ યુઝ શૌચાલય પાસેથી ચોરાઈ ગઈ. આરોગ્ય ઇન્સ્પેક્ટર શૌચાલયના ફોટા પાડવા માટે અંદર ગયા હતા અને માત્ર બે મિનિટમાં અજાણ્યો શખ્સ બાઇક લઈને ફરાર થઈ ગયો. આ ઘટના પ્રાંતિજ ભાંખરીયા પોલીસ ચોકીની બરાબર સામે બની હતી, જેણે સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ સર્જ્યો છે. પોલીસ ચોકીના CCTV ફૂટેજમાં ઘટના કેદ થઈ છે, જેના આધારે પોલીસે ચોરને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
સેનેટરી ઈન્સ્પેક્ટરના શૌચાલયમાં ફોટા પાડતી વખતે બાઈક ચોરાયું
પ્રાંતિજ તાલુકાના માવાની મુવાડી ગામમાંથી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
પ્રાંતિજ પોલીસે માવાની મુવાડી ગામની સીમમાં ખારી નદીના કોતરોમાંથી દેશી દારૂ બનાવવા માટે તૈયાર કરાયેલો અંદાજે 4,200 લીટર વોશ કબજે કર્યો છે, જેની કિંમત રૂ. 1.05 લાખ આંકવામાં આવી છે. જોકે, ઘટના સ્થળેથી કોઈ આરોપી પકડાયો ન હતો. પોલીસે ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે. ASI મનિષકુમાર અને અ.હે.કો. વિક્રમસિંહને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાંતિજ તાલુકાના માવાની મુવાડી ગામમાંથી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
હિંમતનગરના વેપાર ભવનમાં કોમ્પ્યુટર ટાઈપની દુકાનમાંથી રૂ.1.50 લાખની ચોરી
હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વેપાર ભવનની કોમ્પ્યુટર ટાઈપની દુકાનમાંથી અંદાજે રૂ.1.50 લાખની રોકડની ચોરી થઈ હતી. આ ઘટના અંગે ઝાકીરહસેન અબ્દુરરહમાન કાબલીવાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ચાંદનગરમાં રહેતા શકીલશા રફીકશા દિવાને તારીખ 30 જૂનની રાત્રે તેમની દુકાનમાં પ્રવેશ કરી ઓફિસના ડ્રોવરનું તાળું તોડી ચોરી કરી હતી. આ ચોરી અંગે ઝાકીરહુસેન કાબલીવાલાએ શકીલશા દિવાન વિરુદ્ધ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
હિંમતનગરના વેપાર ભવનમાં કોમ્પ્યુટર ટાઈપની દુકાનમાંથી રૂ.1.50 લાખની ચોરી
હિંમતનગરની તલોદ-પ્રાંતિજ પોલીસ દ્વારા રૂ. 2.10 કરોડથી વધુના વિદેશી દારૂનો નાશ કરાયો
સાબરકાંઠા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ હેઠળ, તલોદ અને પ્રાંતિજ પોલીસ દ્વારા જપ્ત કરાયેલા રૂ. 2.10 કરોડથી વધુના વિદેશી દારૂનો કોર્ટના આદેશ બાદ નાશ કરવામાં આવ્યો. આ કાર્યવાહીમાં કુલ 62,804 બોટલોનો સમાવેશ થાય છે, જેમાંથી તલોદ પોલીસ સ્ટેશનના 18 ગુનાઓની 8288 બોટલો અને પ્રાંતિજ પોલીસ સ્ટેશનના 24 ગુનાઓની 54,516 બોટલોનો નાશ કરાયો. નાયબ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની હાજરીમાં ઉમેદની મુવાડી ગામ ખાતે આ નાશની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી.
હિંમતનગરની તલોદ-પ્રાંતિજ પોલીસ દ્વારા રૂ. 2.10 કરોડથી વધુના વિદેશી દારૂનો નાશ કરાયો
હિંમતનગર પોલીસ મથકે યુવકના મોત બાદ પરિજનો દ્વારા ન્યાયની માંગ
હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એક યુવકના મોત બાદ તેના પરિવારજનો, મહિલાઓ અને યુવાનોએ પોલીસ મથકે પહોંચી દેકારો મચાવ્યો હતો. મૃતકને પોલીસ સ્ટેશનમાં લાવી માર મારવામાં આવ્યો હોવાનો આરોપ છે. પરિજનોએ મૃતકના મોતની યોગ્ય તપાસ અને ન્યાયની માંગ કરી હતી. હાલ પોલીસ તંત્ર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે તેવું માનવામાં આવી રહ્યું છે.
હિંમતનગર પોલીસ મથકે યુવકના મોત બાદ પરિજનો દ્વારા ન્યાયની માંગ
હળવદના એજાર સીમમાં રેતી ચોરી
હળવદ નજીક ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનનની બાતમી મળતાં વન વિભાગે સઘન કાર્યવાહી કરી હતી. એ.સી.એફ્. મનીષ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ આર.એફ્.ઓ.ની ટીમોએ એજાર, માલણિયાદ અને કોપરણી ગામોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન, રાત્રિના સમયે એજાર ગામ પાસે અભયારણ્ય વિસ્તારમાંથી ગેરકાયદે રેતીનું ખનન કરતા 4 ટ્રેક્ટરો ઝડપી પાડ્યા હતા. વન વિભાગે તમામ ટ્રેક્ટરો કબજે કરી આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-1972 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદના એજાર સીમમાં રેતી ચોરી
અમદાવાદના બાકરોલમાં સિંચાઈ કેનાલ પર ગેરકાયદેસર નોનવેજ હોટેલ
દસ્ક્રોઈ તાલુકાના બાકરોલ ગામમાં સિંચાઈ વિભાગની કેનાલ પર ગેરકાયદેસર નોનવેજ હોટેલનું બાંધકામ કરાયું છે. તેના કારણે ચોમાસામાં પાણીના નિકાલમાં અવરોધ આવવાની તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પાણી પહોંચવામાં મુશ્કેલી સર્જાવાની ભીતિ છે. હોટેલમાંથી નીકળતો કચરો અને ગંદકી કેનાલમાં જતી હોવાથી સ્વચ્છતા અને આરોગ્યના પ્રશ્નો પણ ઊભા થયા છે. ખુલ્લા કુવા અને ગંદકીથી રોગચાળો વકરી શકે છે. સ્થાનિકોએ સિંચાઈ વિભાગ, ગ્રામ પંચાયત અને જિલ્લા તંત્રને તાત્કાલિક તપાસ કરી દબાણ દૂર કરવાની અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અમદાવાદના બાકરોલમાં સિંચાઈ કેનાલ પર ગેરકાયદેસર નોનવેજ હોટેલ
માર્જિન કોલ: લાલચ અને આંકડાઓની માયાજાળ વિશ્વને ગિરવે મૂકે છે
શેરબજારની દુનિયા માત્ર રોકાણ સુધી સીમિત નથી. વોલ સ્ટ્રીટના `વરુઓ` માટે ફ્યૂચર્સ, ઓપ્શન્સ, લેવરેજ અને ડેરિવેટિવ્ઝની એક જટિલ માયાજાળ છે. જ્યારે આમાં લાલચ ભળે છે, ત્યારે તે એક ટાઈમ-બોમ્બ બની જાય છે જે વૈશ્વિક અર્થવ્યવસ્થાને કાટમાળ બનાવી શકે છે. 2008ની મંદી આંધળી લાલચનું પરિણામ હતી. "માર્જિન કોલ" (Margin Call) ફિલ્મ આ જ વાસ્તવિકતાને દર્શાવે છે. તેમાં કોઈ એક્શન નથી, પરંતુ બોર્ડરૂમમાં કમ્પ્યુટરના આંકડાઓ ભયાવહ વાતાવરણ સર્જે છે.
માર્જિન કોલ: લાલચ અને આંકડાઓની માયાજાળ વિશ્વને ગિરવે મૂકે છે
લુણાવાડાના વીરપુરના લીંબરવાળા ગામેથી દારૂનો જથ્થો ઝડપાયો
વીરપુર પોલીસને મળેલ બાતમીના આધારે લીંબરવાળા ગામે કાર્યવાહી કરતાં એક ઇસમ વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ઝડપાયો છે. જિલ્લા પોલીસ અધિક્ષક લુણાવાડા વિભાગનાઓએ પ્રોહીબીશનની અસરકારક કામગીરી કરવા સૂચના કરી હતી, જેના અનુસંધાને વીરપુર પોલીસ સ્ટેશન દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. લીંમ્બરવાડા ગામના રણજીતભાઈ અમરાભાઈ ઠાકોર પોતાના ઘરે દારૂ રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળતાં દરોડો પાડવામાં આવ્યો હતો. તેમના ખેતરમાંથી ટીન બીયર અને રોયલ સ્ટેગ કવોટર મળી આવ્યો છે.
લુણાવાડાના વીરપુરના લીંબરવાળા ગામેથી દારૂનો જથ્થો ઝડપાયો
સાબરકાંઠામાં નંબર પ્લેટ તથા બ્લેક ફિલ્મના વાહન ચાલકો દંડાયા
હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત ટ્રાફિક શાખા દ્વારા છેલ્લા એક મહિનામાં નંબર પ્લેટ ન ધરાવતા 3050 તથા બ્લેક ફિલ્મ લગાવીને ફરતા 628 મળી 3678 વાહન ચાલકો સામે ટ્રાફિક શાખાના પીએસઆઈ એ.વી.જોષી અને તેમના સ્ટાફે વાહન ચેકીંગ કરીને નિયમોનો ભંગ કરતા વાહનચાલકો વિરૂધ્ધ દંડનીય કાર્યવાહી કરી હતી.
સાબરકાંઠામાં નંબર પ્લેટ તથા બ્લેક ફિલ્મના વાહન ચાલકો દંડાયા
અમદાવાદના વિરમગામ હાઈસ્કૂલ મેદાન પાસે દેશી-વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
વિરમગામ શહેરની શેઠ એમ. જે. હાઈસ્કૂલના મેદાન પાસેના હાથી તલાવડી વિસ્તારમાંથી દેશી અને વિદેશી દારૂનો ખાનગી વેપલો ચલાવતા ભાટ વાસણા ગામના રમેશજી ઉર્ફે ગુગો લક્ષ્મણજી ઠાકોરને શહેર પોલીસે દારૂના જથ્થા સાથે ઝડપી લીધો. પોલીસે વાહન કબજે કરી, જેમાં 130 વ્હિસ્કી ક્વાટર, 22 બિયર ટીન, 100 લીટર દેશી દારૂ, એક મોબાઈલ અને વાહન મળી કુલ રૂ. 5,42,840નો મુદ્દામાલ જપ્ત કર્યો. રમેશજી ઠાકોર અને દીપક સુરેશભાઈ ઠાકોર વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે.
અમદાવાદના વિરમગામ હાઈસ્કૂલ મેદાન પાસે દેશી-વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગરના સાયલામાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે ધારીયા અને લાકડીઓ વડે હિંસક મારામારી
સાયલા ગામના સર્વોદય જીન વિસ્તારમાં સવારે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે કોઈ મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ ધીંગાણું સર્જાયું. આ મારામારીમાં બન્ને પક્ષો દ્વારા ધારીયા, લાકડીઓ અને ધોકા જેવા હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો, જેમાં કુલ નવ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સાયલા સરકારી હોસ્પિટલ ખસેડાયા, જ્યાં ત્રણથી ચાર લોકોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર અને એકને રાજકોટ મોકલવામાં આવ્યા. સાયલા પોલીસે ઘટનાસ્થળે અને હોસ્પિટલમાં બંદોબસ્ત ગોઠવી તપાસ હાથ ધરી.
સુરેન્દ્રનગરના સાયલામાં એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે ધારીયા અને લાકડીઓ વડે હિંસક મારામારી
ધ્રાંગધ્રાની રજવાડી રેસ્ટોરન્ટના મેનેજરે મહિલાને બ્લેકમેઈલ કરી પડાવ્યા રૂપિયા બે લાખ
ધ્રાંગધ્રાની રજવાડી રેસ્ટોરન્ટના મેનેજરે એક મહિલાને બીભત્સ ફોટા બતાવી બ્લેકમેઈલ કરી કટકે કટકે રૂપીયા બે લાખ પડાવી લીધાની ઘટના બની છે. આબીદ માલપરા નામનો મેનેજર મહિલાના ફોટા વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવતો હતો. તેણે મહિલાને તેના પતિથી છૂટાછેડા લેવા માટે પણ દબાણ કર્યું હતું. આ અંગે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ધ્રાંગધ્રાની રજવાડી રેસ્ટોરન્ટના મેનેજરે મહિલાને બ્લેકમેઈલ કરી પડાવ્યા રૂપિયા બે લાખ
ગાંધીનગરના મણિપુર પાસેથી ચોરાયેલ ઘેટા અને બચ્ચા સાથે એક ચોર ઝડપાયો
મહેસાણા જિલ્લામાં ઢોર ચોરીના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને બાવલું પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી પાસેથી મણિપુર ગામની સીમમાંથી ચોરાયેલું એક ઘેટું અને તેનું તાજેતરમાં જન્મેલું બચ્ચું મળી આવ્યું છે, જેની કુલ કિંમત રૂ. 10 હજાર આંકવામાં આવી છે. પોલીસે આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આગળની તપાસ હાથ ધરી છે. ચોરીમાં સામેલ અન્ય ત્રણ આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. આ ચોરીમાં કુલ રૂ. 95 હજારના પશુઓની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.
ગાંધીનગરના મણિપુર પાસેથી ચોરાયેલ ઘેટા અને બચ્ચા સાથે એક ચોર ઝડપાયો
ગાંધીનગરમાં પત્ની-પુત્રી સામે યુવક પર ધારિયા-લાકડીઓથી જીવલેણ હુમલો
કડી તાલુકામાં ભેંસોની લેતી-દેતીની જૂની અદાવતના કારણે એક યુવક પર તેની પત્ની અને અઢી વર્ષની પુત્રી સામે જ ચાર શખ્સોએ ધારિયા અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો. આ ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. કડી પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે. આ હુમલો કલોલ ખાતે રહેતા રમેશભાઈ નારણભાઈ રબારી પર થયો હતો, જેઓ અમદાવાદની કુરિયર કંપનીમાં નોકરી કરે છે.
ગાંધીનગરમાં પત્ની-પુત્રી સામે યુવક પર ધારિયા-લાકડીઓથી જીવલેણ હુમલો
મહેસાણામાં પરમિટ વિના રેતી લઈ જતા બે ડમ્પર જપ્ત
મહેસાણા જિલ્લામાં પરમિટ વિના તેમજ ઓવરલોડ ખનીજ વહનની પ્રવૃત્તિને ડામવા ખાણ ખનીજ વિભાગે કડક કાર્યવાહી કરી છે. કડી પંથકમાં તપાસ દરમિયાન, બિનઅધિકૃત સાદી રેતી લઈ જતા બે ડમ્પર ઝડપાયા હતા. આ ડમ્પર અને રેતી સહિત કુલ રૂ. 80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ડમ્પર માલિકો સામે રૂ. 2.35 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ગેરકાયદે ખનીજ વહન કરતા તત્વોમાં ફફ્ડાટ પ્રસરી ગયો છે.
મહેસાણામાં પરમિટ વિના રેતી લઈ જતા બે ડમ્પર જપ્ત
પાલનપુરમાં ખોદકામમાં સોનું મળ્યાની લાલચ આપી ઠગાઈ
પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે ખોદકામમાં સોનું મળ્યાની લાલચ આપી ઠગાઈ આચરતી ગેંગના બે શખ્સો લાલા રામાભાઈ સલાટ અને રતન તુલશીભાઈ સલાટને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ વડગામના મફાજી ભીખાજી સોલંકીને સોનાના ઢોળ ચડાવેલા મણકા આપી વિશ્વાસ કેળવી, બચતના રોકડા રૂ. 2.20 લાખ પડાવી લીધા હતા. તપાસ કરતાં તે પિત્તળ નીકળતાં ભોગ બનનારે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તમામ રકમ રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાલનપુરમાં ખોદકામમાં સોનું મળ્યાની લાલચ આપી ઠગાઈ
હિંમતનગરમાં યુવકને માર માર્યાના આરોપ સાથે પોલીસ સ્ટેશનમાં નોંધાયો વિવાદ
હિંમતનગરમાં એક યુવકને પોલીસે માર માર્યો હોવાના આરોપ સાથે એક વિડીયો વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણેક દિવસ પહેલા એક યુવક નશાની હાલતમાં વાહનોમાં તોડફોડ કરતો ઝડપાયો હતો. પોલીસે તેને પોલીસ સ્ટેશન લાવી કાયદેસર કાર્યવાહી બાદ મુક્ત કર્યો હતો. જોકે, બાદમાં યુવકના મૃત્યુના સમાચાર આવ્યા અને પરિવારે પોલીસ માર માર્યાનો આરોપ લગાવ્યો, જેના પગલે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
હિંમતનગરમાં યુવકને માર માર્યાના આરોપ સાથે પોલીસ સ્ટેશનમાં નોંધાયો વિવાદ
અમદાવાદના સાણંદના ભવાનપુરમાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા
સાણંદ તાલુકાના ભવાનપુર ગામમાં આંબલીવાળા નેળીયામાં જાહેર સ્થળે પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની ખાનગી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન જુગાર રમતા કુલ સાત ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી પોલીસે રૂ. 5,500 ની રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા તમામ ઈસમો ભવાનપુર ગામના રહેવાસી છે.
અમદાવાદના સાણંદના ભવાનપુરમાં જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા
ધંધૂકા-ધોલેરા હાઈવે પર અજાણ્યા વાહન ટક્કર: 8 પશુઓના કરુણ મોત
ધંધૂકા-ધોલેરા હાઈવે પર અલિયાસર મહાદેવ નજીક મોડી રાત્રે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 8 ભેંસોના મોત થયા છે. એક અજાણ્યા વાહને ભેંસોના ટોળાને ટક્કર મારતા આ ઘટના બની હતી. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ સ્થાનિક લોકો અને પશુપાલકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃત પશુઓના માલિકોએ ફરાર ચાલકને ઝડપી પાડવા અને યોગ્ય વળતરની માંગ કરી છે. પોલીસે અજાણ્યા વાહન અને તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.
ધંધૂકા-ધોલેરા હાઈવે પર અજાણ્યા વાહન ટક્કર: 8 પશુઓના કરુણ મોત
સુરેન્દ્રનગરના માલવણ કંપનીમાં શ્રામિકના મૃતદેહ સ્વીકાર્યા બાદ ભારે ચર્ચા
પાટડી નજીક ડી.આઇ.એફ.ડી. પવનચકી કંપનીમાં સલામતીના અભાવે બે શ્રામિકોના મોત બાદ પણ ફેકટરી ઇન્સપેક્ટર દ્વારા પગલાં લેવાયા નથી. ચોથા દિવસે પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવતા કંપનીએ મામલો રફેદફે કર્યો હોવાનું જણાઈ રહ્યું છે. પાંચ દિવસ પહેલા ઓરિસ્સાના મનોજકુમાર શાહુનું સલામતી સાધનો અને કંપનીની બેદરકારીને કારણે મોત થયું હતું. વિરમગામના મોટા નેતાની મધ્યસ્થી બાદ પરિવારને નોકરી સહિતની લાલચ આપી મૃતદેહ સ્વીકારાવ્યાની ચર્ચા છે. ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કાર્યવાહી પર સૌની નજર છે.
સુરેન્દ્રનગરના માલવણ કંપનીમાં શ્રામિકના મૃતદેહ સ્વીકાર્યા બાદ ભારે ચર્ચા
ગાંધીનગરમાં પૈસાની લેતીદેતીમાં બબાલ કરનાર લોકોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
ગાંધીનગરના કુડાસણમાં ફિટનેસ જીમ પાસે થયેલા જીવલેણ હુમલાના કેસમાં પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવી હુમલાની સમગ્ર પ્રક્રિયાની તપાસ કરી. ફરિયાદ મુજબ, RTDCમાં ચેરમેન બનાવવાના બહાને ₹1.10 કરોડની લેવડદેવડ બાદ વિવાદ સર્જાયો હતો. સમાધાન બેઠક દરમિયાન આરોપીઓએ હથિયારો વડે હુમલો કરી બે લોકોને ગંભીર ઇજા પહોંચાડી અને કારમાં તોડફોડ કરી હતી. પોલીસે અનેક આરોપીઓની ધરપકડ કરી તપાસ તેજ બનાવી છે. કોર્ટમાં કેસની સત્યતા નક્કી થશે.
ગાંધીનગરમાં પૈસાની લેતીદેતીમાં બબાલ કરનાર લોકોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
નિકોલમાં ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રિયલ બાંધકામો પર AMCનું બુલડોઝર ફર્યું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નિકોલ વોર્ડમાં આવેલા વસ્તિક ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં બે ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રિયલ બાંધકામો પર સપાટો બોલાવવામાં આવ્યો છે. નકશા બહાર અને બિન-પરવાનગી વગર બાંધવામાં આવેલા આશરે ૨,૨૧૭ ચોરસ ફૂટ બાંધકામને તોડી પાડવામાં આવ્યું. આ કાર્યવાહીમાં કુલ ૮૦,૦૦૦ રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલ કરાયો. AMCની ટીમે ભારે મશીનરી અને પોલીસ સ્ટાફની મદદથી આ ડિમોલિશન હાથ ધર્યું, જેમાં માર્જિન અને એડિશનલ ફ્લોર પર થયેલા બાંધકામોનો સમાવેશ થાય છે.
નિકોલમાં ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રિયલ બાંધકામો પર AMCનું બુલડોઝર ફર્યું
અયોધ્યાના વકીલોનો નિર્ણય: રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં આરોપીઓનો કેસ નહીં લડે.
અયોધ્યામાં રામ મંદિરના પ્રસાદ ચોરી કેસમાં અયોધ્યાના વકીલોએ એક મહત્વનો નિર્ણય લીધો છે. ફૈઝાબાદ બાર એસોસિએશન દ્વારા યોજાયેલી બેઠકમાં નક્કી થયું કે પ્રસાદ ચોરીના આરોપીઓનું પ્રતિનિધિત્વ કોઈ પણ વકીલ કરશે નહીં. આ કેસમાં કુલ આઠ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે, જેઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. SIT તેમની પૂછપરછ અને તપાસ કરી રહી છે, જેમાં તેમના ઘરોમાંથી મોટી રકમ મળી આવી છે.
અયોધ્યાના વકીલોનો નિર્ણય: રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં આરોપીઓનો કેસ નહીં લડે.
ડભોઇના પલાસવાડા ફાટક પાસે કારમાંથી રૂા.4.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
ડભોઇ પોલીસે પલાસવાડા રેલવે ફાટક પાસે બાતમીના આધારે એક મોટી કાર્યવાહી કરી છે. છોટાઉદેપુર તરફથી ભાવનગર લઇ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. પાઇલોટિંગ કરતી ઇકો કારમાંથી બે ઇસમોને દબોચી લેવાયા હતા, જ્યારે દારૂ ભરેલી TUV 300 ગાડીનો ચાલક પોલીસને જોઈને ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે દારૂ ભરેલી ગાડીમાંથી કુલ 1384 નંગ દારૂનો જથ્થો કબ્જે કર્યો છે, જેની અંદાજિત કિંમત રૂા. 4,42,424 થાય છે. આ કાર્યવાહી દરમિયાન ભાવનગરના બે ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે.
ડભોઇના પલાસવાડા ફાટક પાસે કારમાંથી રૂા.4.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
અંકલેશ્વર નજીક હત્યા કરાયેલા ભરૂચના યુવકનો મૃતદેહ મળ્યો
અંકલેશ્વર નજીક અમરાવતી ખાડીમાંથી ભરૂચના 35 વર્ષીય પરેશ વસાવા નામના યુવકનો વિકૃત હાલતમાં મૃતદેહ મળ્યો છે. 17 જૂનથી ગુમ થયેલા પરેશ વસાવાની ઓળખ તેમના ડાબા હાથના ટેટૂ અને જમણા હાથમાં લાલ દોરા પરથી તેમના પરિવારજનોએ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓને કારણે તેમનું મોત થયું હતું. તેમની બાઇક હજુ મળી નથી. અંકલેશ્વર રૂરલ પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, જેમાં હત્યાના કારણો અને આરોપીઓની શોધ પર ભાર મૂકવામાં આવ્યો છે.
અંકલેશ્વર નજીક હત્યા કરાયેલા ભરૂચના યુવકનો મૃતદેહ મળ્યો
ભરૂચના ભાડભૂત બેરેજ સાઇટ નજીક ગેરકાયદે માટી ખનન
મનાડ ગામમાં ભાડભૂત બેરેજ સાઇટ નજીક નર્મદા નદી કિનારે ગેરકાયદે માટી ખોદકામ અને CRZ નિયમોના ભંગ અંગે જિલ્લા તંત્ર સમક્ષ ફરીથી ફરિયાદ નોંધાઈ છે. કમલેશ એસ. મઢીવાલાએ કલેક્ટર, GPCB અને ભુસ્તરશાસ્ત્રી કચેરીમાં રજૂઆત કરી ફેજદારી કાર્યવાહી અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. આક્ષેપ છે કે CRZ પ્રતિબંધિત વિસ્તારમાંથી મોટી માત્રામાં માટી ખોદી ભાડભૂત બેરેજ યોજના તેમજ ભરૂચ-દહેજ હાઇવેના કામમાં ઉપયોગ કરાયો છે. ગૌચર, તલાવડી અને નદી-નાળા સંબંધિત જમીનોમાંથી પણ માટી કાઢવામાં આવી હોવાનો દાવો છે. અગાઉની ફરિયાદ બાદ મામલો દબાવવાના પ્રયાસો થયાનો આક્ષેપ છે.