વટ સાવિત્રી વ્રતની ભાવનગરમાં ભવ્ય ઉજવણી
Published on: 10th June, 2025
ભાવનગરમાં જેઠ માસની પૂનમે વટસાવિત્રી વ્રતની વિશેષ ઉજવણી થઈ. શિશુવિહાર સંસ્થામાં મોટી સંખ્યામાં સૌભાગ્યવતી મહિલાઓ વડના ઝાડની પૂજા કરી અને તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી. વ્રતધારી બહેનોએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સોળ શણગાર સાથે શિવ મંદિરો અને વડના વૃક્ષોની પૂજા કરી, અબીલ, ગુલાલ, કંકુ, ચોખા અને ફૂલો ચઢાવ્યા. સાવિત્રી-સત્યવાનની પૌરાણિક કથા અનુસાર આ વ્રત પવિત્રતા અને નારીત્વનું પ્રતીક છે. મહિલાઓ ઉપવાસ, પ્રદક્ષિણા અને ફરાળ દ્વારા આ પરંપરાનું પાલન કરતી જોવા મળી.