ગોરીકુંડ માં અકસ્માત બાદ નવો આદેશ, ચારધામ યાત્રાની હેલિકોપ્ટર સેવા સ્થગિત
Published on: 15th June, 2025
આજે ઉત્તરાખંડના કેદારનાથ ધામ પાસે એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર તમામ લોકોના મોત થયા છે. ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે, જેમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) ની ટીમો ઘટના સ્થળે હાજર છે. આ દરમિયાન, ચારધામ યાત્રાની હેલિકોપ્ટર સેવા સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અકસ્માત પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શોક વ્યક્ત કર્યો છે.ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા સ્થગિત
ગૌરીકુંડ જઈ રહેલું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેના કારણે ચારધામ યાત્રાની હેલિકોપ્ટર સેવાને પણ અસર થઈ છે. અકસ્માત બાદ તરત જ હેલિકોપ્ટર સેવા સ્થગિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યાં સુધી બીજો આદેશ ના આવે ત્યાં સુધી આ આદેશનું પાલન કરવામાં આવશે. અકસ્માતનો ભોગ બનેલા મુસાફરો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના છે.
મુખ્યમંત્રીના કડક આદેશો
ઉત્તરાખંડમાં વધી રહેલા હેલિકોપ્ટર અકસ્માતોને ધ્યાનમાં રાખીને, સીએમ પુષ્કર સિંહ ધામીએ કડક આદેશો આપ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યમાં હેલિકોપ્ટર સેવાઓના સંચાલન માટે એક કડક SOP તૈયાર કરવી જોઈએ, જેમાં ઉડાન ભરતા પહેલા હેલિકોપ્ટર ની ટેકનિકલ સ્થિતિની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ. હવામાનની માહિતી હોવી પણ ફરજિયાત બનાવવી જોઈએ. સીએમ ધામીએ મુખ્ય સચિવને ટેકનિકલ નિષ્ણાતોની એક સમિતિ બનાવવાનો પણ આદેશ આપ્યો છે. આ સમિતિ હેલિકોપ્ટર કામગીરીના તમામ ટેકનિકલ અને સુરક્ષા માટે ની SOP તૈયાર કરશે.
</p><p>આ પહેલા પણ 7 જૂને કેદારઘાટીમાં એક હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું. તે દરમિયાન, હેલિકોપ્ટર બડાસુ હેલિપેડથી કેદારનાથ માટે ઉડાન ભરી રહ્યું હતું, ત્યારબાદ તરત જ તેમાં કોઈ ટેકનિકલ સમસ્યા આવી ગઈ, જેના કારણે હેલિકોપ્ટરને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.
</p><p><br></p><p>
</p>