યુદ્ધવિરામ પછી બંધ કરવામાં આવેલા 32 એરપોર્ટ ફરીથી શરૂ થયા
Published on: 13th May, 2025
પાકિસ્તાન સાથેના સંઘર્ષને કારણે ભારતમાં 15 મે સુધી 32 એરપોર્ટ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ગુજરાતના ભુજ, જામનગર, રાજકોટ, પોરબંદર, મુંદ્રા અને કંડલા એરપોર્ટ પણ શામેલ હતા. પરંતુ યુદ્ધવિરામનો કરાર થયા પછી સોમવારે ભારત સરકારે આ તમામ બંધ એરપોર્ટ ફરીથી ખોલી દીધા. ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે સરહદ પર તણાવ ઘટાડવા માટે સંમત થયા બાદ ચંદીગઢ, અમૃતસર અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં એરપોર્ટ ફરીથી શરૂ થયા છે.